આયુષ્માન ભારત યોજના
એ ભારત સરકાર દ્વારા દેશના સૌથી ગરીબ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે શરૂ કરવામાં આવેલ એક હેલ્થકેર પ્રોજેક્ટ છે. આયુષ્માન કાર્ડમાં બે મુખ્ય સ્વાસ્થ્ય પહેલનો સમાવેશ થાય છેઃ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના . PMJAY યોજના હેઠળ પ્રત્યેકને દસ કરોડથી વધુ પરિવારોને રૂ.5 લાખ ના આરોગ્ય વીમા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ પહેલ રાજ્યની હોસ્પિટલો અને ખાનગી સુવિધાઓમાં કેશલેસ સારવાર પૂરી પાડે છે જેને સરકારે મંજૂરી આપી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે.
આયુષ્માન ભારત યોજનાનો ઉદ્દેશ્ય
આયુષ્માન ભારતનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે જે ગરીબ લોકો અનેક બીમારીઓ સામે લડી રહ્યા છે અને પૈસા ન હોવાના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકતા નથી અને ઘરે વેદનામાં મૃત્યુ પામે છે. તેઓ આયુષ્માન કાર્ડ દ્વારા તેમની સારવાર મફતમાં કરાવી શકશે, આ યોજના લાયકાત ધરાવતા અરજદારોને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કાર્ડ તરીકે ઓળખાતું સ્માર્ટ કાર્ડ પ્રદાન કરે છે. જેથી તેઓ સરકાર તરફથી આર્થિક મદદ મેળવી શકશે. તે પોતાની નજીકની સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે. આયુષ્માન કાર્ડ માટે, વ્યક્તિઓ તેમના નજીકની આયુષ્માન યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ અથવા CSC સેન્ટર માં જઈ ને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે.
યોજના નું નામ:- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
વિભાગ:- નેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકાર
ક્યારે શરૂ કરવામાં આવી?:- સપ્ટેમ્બર ૨૦૧૮
લાભાર્થી:- ભારતીય નાગરિક
મુખ્ય ફાયદા:-યુનિવર્સલ હેલ્થ કવરેજ રૂ. 5 લાખ સુધી વીમો
યોજનાનો ઉદ્દેશ:- જરૂરિયાતમંદ લોકોનો આરોગ્ય વીમો
હેલ્પલાઇન નંબર:-14555/1800111565
આયુષ્માન ભારત યોજના વેબસાઇટ:-pmjay.gov.in
વાર્ષિક ધોરણે લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. 5 લાખની કેશલેસ આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવશે. આ લેખ માં જાણો સંપૂર્ણ માહિતી આયુષ્માન ભારત યોજના વિશે કે આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું, આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ? શું લાભ મળશે?, ડોક્યુમેન્ટ્સ શું જોશે? કઈ જગ્યા એ અરજી કરવી અને ઘણું બધું.
આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ?
1 : Mera PMJAY પોર્ટલની મુલાકાત લો
2 : તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને 'OTP જનરેટ કરો' પર ક્લિક કરો
3 : પછી તમારું રાજ્ય પસંદ કરો અને નામ/HHD નંબર/રેશન કાર્ડ નંબર/મોબાઈલ નંબર દ્વારા શોધો
4 : શોધ પરિણામોના આધારે, તમે ચકાસી શકો છો કે તમારું કુટુંબ PMJAY હેઠળ આવરી લેવામાં આવ્યું છે કે કેમ એ
5 : ત્યાર બાદ તમને 24 અંક નો HHID નંબર જોવા મળશે. જે તમારે સાચવી ને રાખવો. આયુષ્માન કાર્ડ કઢાવતી વખતે જરૂર પડશે.
વૈકલ્પિક રીતે, તમે PMJAY માટે લાયક છો કે નહીં તે જાણવા માટે, તમે કોઈપણ હોસ્પિટલ નો સંપર્ક કરી શકો છો જે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ચાલતી હોય અથવા આયુષ્માન ભારત યોજના કોલ સેન્ટર નંબર: 14555 અથવા 1800-111-565 પર ડાયલ કરી શકો છો.
જે HHID તમને મળ્યો એ લઈ ને તમે નજીક ની હોસ્પિટલ માં જઈ ને આયુષમાન કાર્ડ બનાવી શકો છે અથવા નજીક નું CSC સેન્ટર પર જઈ ને પણ આયુષ્માન ભારત કાર્ડ બનાવી શકો છો.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ
- લાભાર્થી નું આધાર કાર્ડ
- રાશન કાર્ડ
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- HHID નંબર (સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં હશે તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો
આયુષ્માન કાર્ડ ના ફાયદા
યોજના હેઠળ ગરીબ લોકો 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે.દેશના નાગરિકો આયુષ્માન ભારત કાર્ડ દ્વારા તેમની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જઈ શકે છે.50 કરોડથી વધુ અરજદારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.આ અંતર્ગત તમામ લેખિત કામમાં ઘટાડો કરવામાં આવશે નોંધ :- લાભાર્થીઓ તેમની નજીકની આયુષ્માન યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ અથવા CSC સેન્ટર જઈ ને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે.
Tags:
yojana