પાવર ટીલર સહાય યોજના
પાવર ટીલર સહાય યોજના કોને લાભ મળે ? ખેડૂત ખાતેદાર , જેના નામે જમીન હોય ( દરેક યોજના માટે )
પાવર ટીલર સહાય યોજનામાં શું લાભ મળે
1.યોજનામાં દર ૧૦ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે . સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના ૪૦ % અથવા ૩,૫૦,૦૦૦ / -એ બે માંથી જે ઓછું હોય તે તેમજ સામાન્ય જાતિના નાના / સીમાંત / મહિલા ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા ૩.૬૫,૦૦૦ / - એ બે માંથી જે ઓછું હોય તે ( ૮ બી.એચ.પી. થી નીચે ) સામાન્ય ખેડૂતને કુલ ખર્ચના ૪૦ % અથવા ૩.૭૦,૦૦૦ / -એ બે માંથી જે ઓછું હોય તે તેમજ સામાન્ય જાતિના નાના / સીમાંત / મહિલા ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ .૮૫,૦૦૦ / - એ બે માંથી જે ઓછું હોય તે ( ૮ બી.એચ.પી. થી વધુ )
2. યોજનામાં અનુસુચિત જનજાતિ તેમજ યોજનામાં અનુસુચિત જાતિના ખેડૂત દર ૧૦ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે . કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ .૬૫,૦૦૦ / - એ બે માંથી જે ઓછું હોય તે ( ૮ બી.એચ.પી. થી નીચે ) કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ .૮૫,૦૦૦ / - એ બે માંથી જે ઓછું હોય તે ( ૮ બી.એચ.પી. થી વધુ )
પાવર ટીલર સહાય યોજના અરજી સાથે જરૂરી પુરાવાઓ
અરજી કરેલ હોય તેની નકલ
જાતિનો દાખલો ( અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે )
જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો
બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક આધારકાર્ડ ની નકલ . ( દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા)
પાવર ટીલર સહાય યોજના અરજી ક્યાં કરવી ?
i-khedut portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે
પાવર ટીલર સહાય યોજના ઓનલાઇન અરજી કરવા લિંક
https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/
Tags:
yojana